Headlines News :

Saturday, February 22, 2014

આલિયાની ફિલ્મ 'હાઈવે' યુરોપમાં છવાય ગઈ

ફિલ્મકાર ઈમ્તિયાઝ અલીની નવી ફિલ્મ 'હાઈવે' યૂરોપમાં છવાય ગઈ છે. ગયા અઠવાડિયે બર્લિન ફિલ્મ મહોત્સવમાં આનુ પ્રીમિયર થયો હતો. ત્યારબાદ ફિલ્મની ચર્ચા લંડનમાં જોરો પર છે. ફિલ્મની સ્ટોરી એક કરોડપતિ ઘરના દમ ઘૂંટતા વાતાવરણમાં જીવી રહેલી એક એવી જવાન યુવતીની છે જેનુ એક ગેંગ અપહરણ કરી લે છે. એવુ કહેવાય છે કે ફિલ્મને આંતરરાષ્ટ્રીય દર્શકોનુ પણ ધ્યાન આકર્ષિત કરવામાં સફળતા મળશે. ફિલ્મની સ્ટોરી ભારતના છ રાજ્યોમાંથી પસાર થાય છે.

ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટે શુક્રવારે બર્લિનથી પરત ફર્યા બાદ લંડનમાં સંવાદદાતાઓને જણાવ્યુ, 'આવુ પહેલીવાર છે જ્યારે અમે દર્શકોની સાથે આખી ફિલ્મ જોઈ. આ જોવુ પણ રસપ્રદ રહ્યુ કે દરેક દ્રશ્ય સાથે જ તે હાજર રહ્યા. અભિનેત્રીએ જણાવ્યુ કે વીરા ત્રિપાઠીની ભૂમિકા ખૂબ જ જટિલ હતી. તેણે કહ્યુ કે આ ફિલ્મ દ્વારા મે શીખ્યુ કે કેવી રીતે બનાવટી અને દેખાવાથી દૂર રહીને ખુદને પ્રદર્શિત કરી શકાય છે. જો હુ મૂર્ખ છુ તો મને મૂર્ખ જ રહેવા દો. આ ફિલ્મએ મને એવુ કહેવાનો આત્મવિશ્વાસ આપ્યો છે કે 'ભાડમાં જાય લોકો, આ મારુ સ્થાન છે' ફિલ્મ હાઈવેમાં રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર જેવા રાજ્યોની વાસ્તવિકતા બતાવાઈ છે.

ફિલ્મના સહનિર્માતા અને લેખક નિર્દેશક અલીએ કહ્યુ, ફિલ્મની સ્ટોરી મારી મગજમાં હતી પણ મે પટકથીને ઓપન રાખી જેથી જે પણ આપણાથી છૂટી જાય અમે તેને યાત્રા દરમિયાન લઈ શકીએ. અમે બર્લિનમાં દર્શકો સાથે ફિલ્મને શરૂઆતથી અંત સુધી જોઈ. 'હાઈવે' માં રણદીપ હુંડા પણ છે.

Friday, January 20, 2012

માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે

માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે.
પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવેછે પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?


માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી
પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે”.
દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.
કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.
નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું?
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?

જો આપ આપના પિતાને પ્રેમ કર્તા હો તો આ post ને "Share" કરો...

Thursday, January 19, 2012

ગર્વ અનુભવવા જેવી વાત.

અમેરિકાની સેટન હોલ યુનિવર્સિટીએ પોતાના અભ્યાસક્રમમાં
ભારતના પવિત્ર ગ્રંથ ભગવદ ગીતાનો સમાવેશ કર્યો છે . યુનિવર્સિટીએ તેના દરેક છાત્ર માટે ગીતાનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે..!! ♥♥♥
આ યુનિવર્સિટીનું માનવું છે કે છાત્રોને સમાજની નજીક લઈ જવા માટે ગીતાનું પઠન જરૂરી છે અને તેના જેવો શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી . આ માહિતી યુનિવર્સિટીના સ્ટીલમેન બિઝનેસ સ્કૂલના પ્રોફેસર એ . ડી . અમરે આપી હતી હતી..!!! ♥♥♥

વર્ષ 1985 માં ન્યૂજર્સીમાં શરૂ થયેલી આ યુનિવર્સિટી એક સ્વાયત્ત કેથોલિક યુનિવર્સિટી છે . તેમ છતાં ત્યાં અભ્યાસ કરતા કુલ 10,800 છાત્રોમાંથી મોટાભાગના બિનખ્રિસ્તી છે.. ♥♥

આ યુનિવર્સિટીના છાત્રોમાં ભારતીયોની સંખ્યા વધારે છે . આ અંગે માહિતી આપતાં પ્રોફેસર અમરે જણાવ્યું હતું કે , યુનિવર્સિટીના કોર કોર્સ હેઠળ દરેક છાત્રો માટે કેટલોક અભ્યાસક્રમ ફરજીયાત હોય છે . જેનો અભ્યાસ દરેક છાત્રે કરવાનો રહે છે..!! ♥♥♥

તેમણે ઉમેર્યું હતું કે , ગીતાનું જ્ઞાન એ સર્વોત્તમ સાધન છે . તેના મહત્વને ઓળખીને જ યુનિવર્સિટીએ તેનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે...!!

via ગુજરાતી ફન અને હાશિય ગાંડિયો લાલ..!!
અહી થી સેર બટન નો ઉપયોગ કરીને સેર કરો તો પણ ભલે અથવા કોપી પેસ્ટ કરો તો પણ ભલે પણ બધા આ પોસ્ટ બધા લોકો સુધી પહોચાડજો જરુર..આ એક ગર્વ અનુભવવા જેવી વાત છે...!!(Click Share) જો મિત્રો તમને અહી રજુ કરે